Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ગુજરાતની તમામ 26 લોકસભા વિસ્તારમાં ભાજપનો સંકલ્પ રથ ફરશે

મેનીફેસ્ટો માટે લોકો પાસેથી સૂચનો મંગાશે :રથમાં પેટીમાં પોતાના વિચારો મૂકી શકશે લોકો

અમદાવાદ :લોકસભા ચુંટણી નજીક છે ત્યારે ભાજપે મેનિફેસ્ટોમાં ક્યા મુદ્દા રાખવા તેના સૂચન જનતા પાસે માંગવાનું નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે ‘ભારત કે મન કી બાત મોદી કે સાથ’ નામનો કાર્યક્રમ નક્કી કર્યો છે. તેના ભાગરૂપે આજે ગુજરાતની તમામ ૨૬ લોકસભા વિસ્તારમાં સંકલ્પ રથ ફરશે. આ સંકલ્પ રથનું મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી પ્રસ્થાન કરાવશે. આ રથમાં એક પેટી મુકવામાં આવી છે. તેમાં લોકો પોતાના વિચારો લખીને પેટીમાં મૂકી શકે છે

(12:09 pm IST)