Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

બોરસદ તાલુકાના બોચાસણમાં પાંચ દિવસ પહેલા ચોરાયેલ 31,500ની મત્તાના ચોરતા પોલીસના સકંજામાં

આણંદ: પાંચેક દિવસ પહેલાં બોરસદ તાલુકાના બોચાસણ ગામે એક બંધ મકાનના તાળા તોડીને ૩૧૫૦૦ની મત્તાના પિત્તળના વાસણો ચોરી જનાર ત્રણને બોરસદ રૂરલ પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે જે દરમ્યાન બીજી કેટલીક ચોરીઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર બોચાસણ ગામની ગૌરી કોલોનીમાં રહેતા પ્રેમીલાબેન વીનુભાઈ પરમારના બંધ મકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કરી ૩૧૫૦૦ની મત્તાના પિત્તળના વાસણો ચોરી કરીને લઈ ગયા હતા. 
જે અંગે બોરસદ રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ કરતાં આ ચોરીમાં ગામના જ સુરેશભાઈ રાવજીભાઈ વાઘરી, અરવિંદભાઈ રમણભાઈ પરમાર તથા વિજયભાઈ ભીખાભાઈ પરમાર સંડોવાયા હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી પોલીસે ત્રણેયને ઝડપી પાડીને ચોરીમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ઘરી હતી.

 

(7:12 pm IST)