Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

રાજ્યમાં 'મહા' એલર્ટ: 15 NDRFની ટીમ તૈનાત: ભટીંડા, હરિયાણા અને પુનાથી 17 જેટલી ટીમો પહોંચશે ગુજરાત

ભટીંડાથી ટીમ અમદાવાદ અને હરિયાણાની ટીમ જામનગર ઉતરશે

અમદાવાદ : મહા વાવાઝોડું ભલે ગુજરાત આવતા નબળું પડી જાય પરંતુ પ્રશાસન સંપૂર્ણ પણે સજ્જ થઈ ગયું છે. હાલ રાજ્યમાં NDRFની કુલ 15 ટીમ તૈનાત છે અને હજુ બીજી 17 જેટલી ટીમ બહારથી આવશે. હરિયાણા અને ભટીંડાથી NDRFની 6-6 ટીમ ગુજરાત આવશે

   ભટીંડાથી આવનારી ટીમ વિમાન મારફતે અમદાવાદ આવશે જ્યારે હરિયાણાથી આવનારી ટીમ દિલ્લી થઈને જામનગર ઉતરશે. તો પુનાથી પણ પાંચ ટીમ ગુજરાત આવશે. એમ રાજ્યમાં NDRFની કુલ 32 જેટલી ટીમ ખડેપગે રહેશે.

   આ 32 ટીમ પૈકી પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ અને દીવમાં 2-2 ટીમ તૈનાત રહેશે. જ્યારે દ્વારકા, બોટાદ, જામનગર, રાજકોટ, મોરબી, વલસાડ, નવસારી, આણંદ, ખેડા, અમદાવાદમાં 1-1 ટીમ તૈનાત રહેશે જ્યારે ગાંધીનગર, વડોદરા અને જૂનાગઢ ખાતે 2-2 ટીમ રિઝર્વ રહેશે.

(12:58 am IST)