Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર, ગવાડાનો દશાબ્દી મહોત્સવ અનેરા ઉલ્લાસથી ઉજવાયો

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી આશ્રિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ ગવાડા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરને દસ વર્ષ પૂર્ણ થતાં દશાબ્દી મહોત્સવ અનેરા ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. વિસનગર અને વિજાપુર વચ્ચે વસેલું ગવાડા ગામ. સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને નાદવંશ ગુરુ પરંપરાની પુનિત પદરજથી પાવન બનેલું આદર્શ ગામ. ગવાડા ગામમાં આસ્થા અને શ્રધ્ધાના કેન્દ્ર સમા શ્રી સ્વામિનારાયણ મંદિરને દસ વર્ષ પૂર્ણ થતાં, એ આનંદમાં સૌ ભક્તોએ સાથે મળી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અધ્યક્ષ પદે શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉજવવાનું નિર્ધારિત કર્યું હતું. આ આનંદદાયક પ્રસંગે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પ્રસન્ન કરવા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રન્થની પારાયણ, અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો,  ભક્તિસંગીત ડાયરો, નગરયાત્રા, પાટોત્સવ વિધિ આદિ વિવિધ કાર્યક્રમો રાખ્યા હતા. જેનો અણમોલ લ્હાવો માણવા દેશ-વિદેશના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વળી, મહોત્સવ પ્રસંગે ધારાસભ્યશ્રી, સમાજના પ્રમુખશ્રી, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ વગેરે અનેક મહાનુભાવોએ પણ દર્શન, આશીર્વાદ પામ્યા હતા. આ મહોત્સવના મુખ્ય યજમાન ગામ ગવાડા હાલ અમેરિકામાં વસતા પટેલ ગોબરભાઇ ઈશ્વરભાઈ પટેલ પરિવાર હતા.

 

(12:50 pm IST)