Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

વલસાડના યોગા ટીચર બ્રેઇનડેડ થયા બાદ તેના શરીરના અંગોથી એક ઉદ્યોગપતિ સહિત 5 લોકોને નવજીવન મળ્‍યુઃ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત લિવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટનું સફળ ઓપરેશન

સુરતમાં ઓર્ગન ડોનેશનના મામલે લોકો જાગૃત થયાઃ કિરણ હોસ્‍પિટલમાં સુવિધાનો પ્રારંભ

સુરત: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મોટાભાગે ઓર્ગન ડોનેશન થાય છે. પરંતુ આધુનિક મેડિકલ સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે ઓર્ગન ટ્રાંસપ્લાન્ટની સુવિધા ન હતી. પરંતુ કિરણ હોસ્પિટલમાં હવે આ સુવિધા ઉપલબ્ધ થઇ ગઇ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર લિવર ટ્રાંસપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આ પહેલાં હોસ્પિટલમાં કિડની ટ્રાંસપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ઓગર્ન ટ્રાંસપ્લાન્ટની સુવિધા અમદાવદ, મુંબઇ, દિલ્હી અને ચેન્નઇ જેવા મહાનગરોમાં જ ઉપલબ્ધ છે. પરંતુ સુરતમાં ઓર્ગન ડોનેશનના મામલે લોકો ખૂબ જાગૃત અને સજાગ છે. એટલા માટે લાંબા સમયથી આ ડિમાંડ કરી હતી કે સુરતમાં પણ ઓર્ગન ટ્રાંસપ્લાન્ટની કોઇ હોસ્પિટલ હોવી જોઇએ. જોકે સરકારી તો નથી પરંતુ કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં આ સુવિધા હવે શરૂ કરવામાં આવી છે.

બહેન સાથે મોપેડ પર સવાર વલસાડના યોગા ટીચર 40 વર્ષીય રંજબેન પ્રવીણભાઇ ચાવડા 30 સપ્ટેમ્બરના રોજ અકસ્માતનો ભોગ બન્યા હતા. વલસાડના લોટસ હોસ્પિટલમાં થયેલા સીટી સ્કેનમાં બ્રેન હેમરેજની પુષ્ટિ થઇ. ત્યારબાદ તેમને સૂરત એપલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા. જ્યાં ન્યૂરો સર્જન ડોક્ટર કેસી જૈને સારવાર શરૂ કરી. શનિવારે રંજનબેનને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા પરંતુ સમજાવ્યા બાદ તેમના પરિવારજનો અંગદાન માટે તૈયાર થઇ ગયા.

સુરતની કિરણ હોસ્પિટલના ડોક્ટર રવિ મોહંકાએ અને તેમની ટીમે લીવર દાન સ્વિકાર કર્યું. અમદાવાદના આઇકેડીઆરસી હોસ્પિટલએ બંને કિડની,  જ્યારે લોક દ્વષ્ટિ ચક્ષુ બેંકને ડોનેટ થયેલી કાર્નિયાનો સ્વિકાર કર્યો. લિવરના ટ્રાંસપ્લાન્ટને ડોક્ટર રવિ, ડો. પ્રશાંત અને તેમની ટીમે સફળ બનાવ્યું. ડોક્ટરનું કહેવું છે કે સુરતના હોસ્પિટલમાં આ સુવિધા બાદ હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો પણ તેનો લાભ લઇ શકશે.

(4:32 pm IST)