Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

શિક્ષક દિવસ : પાંચમી સપ્ટેમ્બર અખંડ વિદ્યાયાત્રાના ઉપાસક ગુરૂજનો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરીએ શિક્ષક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપવા મુખ્યમંત્રીશ્રીની અપીલ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાંચમી સપ્ટેમ્બર – શિક્ષક દિવસ પ્રસંગે શિક્ષક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપીને શિક્ષકજનોનું ઋણ સ્વીકાર કરવાની હાર્દિક અપીલ કરી છે.

શિક્ષણની અખંડ યાત્રાના ઉપાસક સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતીએ, શિક્ષક પ્રત્યે સમાજમાં આદરભાવ જાગે અને શિક્ષક સ્વાન્તઃ સુખાય વિદ્યા ધર્મને અનુસરે એવી ભાવનાને પુરસ્કૃત કરવાનો અવસર એ શિક્ષક દિવસ છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે.

(8:02 pm IST)