Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સૌરભભાઈએ તેમની સરકાર સામે ઉપવાસ કરવા જોઈએ ;પરેશ ધનાણીની સલાહ

લોકશાહી અને અધિકારોને બચાવવા જે પણ આંદોલન કરશે તેને કોંગ્રેસ ટેકો આપશે

અમદાવાદ :રાજ્ય સરકારના પ્રધાન સૌરભ પટેલના નિવેદન અંગે પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, કોંગ્રેસ આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે. લોકશાહી અને અધિકારોને બચાવવા જે પણ આંદોલન કરશે તેને કોંગ્રેસ ટેકો આપશે..રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોની દુશ્મન છે. સરકારે ખેડૂતોમાં ભાગલા પાડી રાજકીય રોટલા શેકવાની શરૂઆત કરી છે.

   પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યુ કે, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પાછળના બારણેથી નીકળી ગયા અને હવે સૌરભ પટેલે સરકાર વતી હવાલો સંભાળ્યો છે. મારી તેમને સલાહ છે કે સૌરભભાઈએ પણ તેમની સરકાર સામે ઉપવાસ કરવા જોઈએ.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારમાં પ્રધાન સૌરભ પટેલે હાર્દિક પટેલના આંદોલન અંગે પ્રતિક્રિયા આપી છે. સૌરભ પટેલે જણાવ્યુ કે, આંદોલનને કોંગ્રેસ ટેકો આપી રહી છે. આંદોલન ચલાવવા પાછળ કોંગ્રેસનો હાથ છે.

(3:48 pm IST)