Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય અને સુરત કામરેજ મંદિરના સ્વામીજીએ લીધી હાર્દિક પટેલની મુલાકાત

અનામત આંદોલન વખતે શહીદ થયેલા મૃતકના પરિવારના સભ્યોએ હાર્દિક પટેને મળવા પહોંચ્યા

અમદાવાદ ;પાસના સુપ્રીમો હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના 11માં દિવસે અનામત આંદોલન વખતે શહીદ થયેલા મૃતકના પરિવારના સભ્યોએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી છે. આંદોલન દરમ્યાન કેટલાક પાટીદાર યુવકોના મોત થયા હતા. રાજકોટમાં ઉમેશ નામનો યુવકના પરિવારે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બાલકૃષ્ણ સ્વામી તેમજ સુરતના કામરેજ મંદિરના શાસ્ત્રી સ્વામી હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. હાર્દિકના ઉપવાસ દરમ્યાન મોટી સંખ્યામાં સાધુ સંતો તેના ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે. સાધુ સંતો ઉપરાંત કાલાવડના ખાખરિયા કડવા સમાજના આગેવાનો એ હાર્દિક પટેલ સાથે  મુલાકાત કરી છે.

(3:42 pm IST)