Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સુરતમાં વ્યાજખોરોએ ઉઘરાણી બાબતે વેપારીને ઢોર માર માર્યો

સુરતઃ શહેરનાં સરથાણા વિસ્તારમાં વ્યાજખોરો બિલકુલ બેફામ બન્યાં છે. જમીનનાં વેપારીને માર માર્યો હોવાંની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેમાં બે શખ્સો જમીન વેપારીને માર મારે છે અને બાદમાં લિફ્ટમાં લઈ જાય છે.

જ્યાં વેપારીને ઢોર માર મારે છે. વેપારીએ 4 લાખની સામે 4 લાખ રૂપિયાની ચૂકવણી કરવા છતાં પણ 4 લાખની પઠાણી ઉઘરાણી કરીને વેપારીને માર માર્યો. જો કે આસપાસનાં લોકો એકઠાં થઈ જતાં બાદમાં વેપારીનો છૂટકારો થયો હતો. જો કે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(3:36 pm IST)