Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સુરતમાં પંદર વર્ષથી ચાલતા અનૈતિક સંબંધોનો અંત આવ્યો

સુરતઃ પંદર વર્ષથી ચાલતા અનૈતિક સંબંધોનો હત્યાના રૂપમાં કરુણ અંજામ આવ્યો છે. પરિણીતા સાથે પ્રેમના માધ્યમથી અનૈતિક સંબંધો રાખવાનું પરિણીત પ્રેમીને ભારે પડ્યું છે. 4 સંતાનોની માતાએ જ્યારે પ્રેમીને ઘરે આવવાની અને અનૈતિક સંબંધો તોડી નાખવાનું કહેતા ઉશ્કેરાયેલા પ્રેમીએ માથામાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી હતી. પરિણામે પ્રેમીને જેલવાસ ભોગવવાનો વખત આવ્યો છે.

મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના જીંજુડા ગામના વતની વજુભાઈ પડસાળા પોતાના પરિવાર સાથે નાના વરાછામાં રામજી મંદિર પાસે સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પંદરેક વર્ષ પૂર્વે તે જે હીરાના કારખાનામાં કામ કરતા હતા તે જ કારખાનામાં પ્રેમસિંગ રામસ્વરૂપ ચક્રવર્તી પણ કામ કરતો હતો. બન્ને મિત્રો બન્યા. એક બીજાના ઘરે આવવા જવાનું શરૂ થયું. એ સમયગાળામાં પ્રેમસિંગની આંખ વજુભાઈનાં પત્ની જયશ્રી સાથે આંખ મળી ગઈ. પછી તો પ્રેમ પાંગર્યો અને પતિની ગેરહાજરીમાં પ્રેમસિંગની ઘરે આવન-જાવન વધી ગઈ. વાત અનૈતિક સંબંધોમાં પરિણમી.

બીજી તરફ જયશ્રી ત્રણ પુત્રી અને એક પુત્રની માતા બની. અત્યારે જયશ્રીની વય 48 વર્ષની થઈ. તેની એક પુત્રીના લગ્ન થઈ ગયાં, એક પુત્રીએ લવ મેરેજ કર્યા. સંતાનો મોટા થઈ જતાં જયશ્રીએ પ્રેમસિંગને ઘરે આવવાની અને અનૈતિક સંબંધો પૂરા કરવાની વાત કરી. આ વાત પ્રેમસિંગને મંજૂર ન હતી. તે ઉશ્કેરાઈ ગયો અને કહ્યું કે આટલાં વર્ષોથી મેં તારી તમામ ઇચ્છા પૂરી કરી. જે વસ્તુ જોઈતી હતી તે લાવી આપી હવે તું સંબંધો પૂરા કરવાનું કહે તે થોડું ચાલે? આ વાતને લઈ ગઈ તા. 27-8-18ના રોજ બપોરે પ્રેમસિંગ જયશ્રીના ઘરે પહોંચ્યો. ત્યાં જયશ્રી એકલી જ હાજર હતી. બન્ને વચ્ચે ભારે ઝઘડો થયો. જેમાં પ્રેમસિંગે બોથડ પદાર્થ માથામાં મારી દેતાં જયશ્રીની હત્યા થઈ હતી. હત્યા કર્યા બાદ મકાનને ઉપરથી તાળું મારી જતો રહ્યો હતો. જેની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

(3:36 pm IST)