Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત :સરકારે સવર્ણો માટે આયોગ રચ્યું છે :આંદોલન સ્થળે 24 કલાક આઇસીયુ ટીમ ગોઠવી છે :સૌરભભાઈ પટેલ

પાટીદાર સમાજની ટોચની છ સંસ્થાની બેઠક પહેલા મંત્રી સૌરભભાઈ પટેલે આપ્યું નિવેદન

 

અમદાવાદ :રાજ્ય સરકારમાં પ્રધાન સૌરભ પટેલે હાર્દિક પટેલના આંદોલન અંગે પ્રતિક્રિયા આપી છે. સૌરભ પટેલે જણાવ્યુ કે,આંદોલનને કોંગ્રેસ ટેકો આપી રહી છે.આંદોલન ચલાવવા પાછળ કોંગ્રેસનો હાથ છે જે કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યા તેને કોંગ્રેસે હંમેશે ટેકો આપ્યો છે.  

    સૌરભભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલ લોકોને મળવા જાય છે. સરકારે સવર્ણો માટે આયોગની રચના કરવામાં આવી છેસૌરભ પટેલે વધુમાં જણાવ્યુ કે, હાર્દિક પટેલની તબીયત અંગે સરકાર ચિંતિત છે. સરકારે ઉપવાસ આંદોલનના સ્થળે 24 કલાક આઈસીયુની ટીમ ગોઠવી છે.   

(1:27 pm IST)