Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ગેટ પર પોલીસ દ્વારા લાઠી ચાર્જ પર બંધ નહીં થાય ત્યાં સુધી મેડિકલ ચેકઅપ નહીં કરાવું: હાર્દિક પટેલનો ધ્રુજારો

 

અમદાવાદ :પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસના નવમા દિવસે આજે અચાનક ઉપવાસ છાવણી બહાર સમર્થકોના  ટોળા ભેગા થયા હતા. પોલીસે ખાસ લોકોને હાર્દિક સાથે મુલાકાત કરવા દે છે. તમામ લોકોને અંદર જવા દેવામાં આવતા નથી. આથી પાસના કાર્યકરો ઉશ્કેરાય ગયા હતા.

દરમિયાન ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. લાઠીચાર્જથી હાર્દિક નારાજ થયો હતો. તેણે કહ્યું કે, પોલીસ જ્યાં સુધી લાઠીચાર્જ બંધ નહીં કરે ત્યાં સુધી હું મેડિકલ ચેકઅપ કરાવવાનો નથી

(11:11 am IST)