Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

નવસારી : અમલસાડ વેડછા ગામ વચ્ચે રેલ અકસ્માત નડતા મોરનું પ્રાણ પંખેરું ઉડી ગયું

મોર એન્જિનના ઉપરના ભાગે આવી જતા કરંટ લાગતા ચોટી ગયો

 

નવસારી "જિલ્લામાં અમલસાડ વેડછા ગામની વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોરને રેલ અકસ્માત  નડતા મોરનું પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ. મોરને એન્જિનના ઉપરના ભાગે આવી જતા કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા મોર એન્જિનના ઉપરના ભાગે ચોટી ગયો હતો

   . જો કે મોરના અકસ્માતના પગલે દાદર અજમેર એક્સપ્રેસને દોઢ કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. એન્જિનને મોર સહીત નવસારી લઇ આવવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ મોરને એન્જિનથી ઉખેડી શકાયો હતો. મોરનુ પ્રાણ પંખેરૂ ઉડી ગયા બાદ મોરના મૃતદેહને રેલવેના અધિકારીઓએ વન વિભાગને સોંપવાની તજવીજ હાથધરી હતી.

(12:07 am IST)