Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

SGVP ગુરુકુલ મેમનગરના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની તબિયત નાતંદુરસ્ત હોવાથી ખબર અંતર પૂછવા પધારતા ભારતના ગૃહ પ્રધાન શ્રી અમિતભાઇ શાહ

અમદાવાદતા. ૪ ભારતના ગૃહ પ્રધાન શ્રી અમિતભાઇ શાહ, રથયાત્રાના પુનિત પર્વે, જગન્નાથ ભગવાનના મંદિરે મંગળાના દર્શન બાદ મેમનગર ગુરુકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની તબિયત નાતંદુરસ્ત હોવાથી તેના ખબર અંતર પૂછવા પધાર્યા હતા.

  હોસ્પિટલમાં પુરાણી સ્વામીને મળીને અમિતભાઇએ  સ્વામી જલ્દી સાજા થઇ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ અમિતભાઇને ભગવાન દેશહિતના તમામ કાર્યમાં સફળતા અપાવે એવા આશીર્વાદ આપ્યા હતા.

(12:15 pm IST)