Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ધોળકામાં નીકળી 69મી રથયાત્રા : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રથની પૂજા કરી : દોરડુ ખેંચી કરાવ્યુ પ્રસ્થાન

શિક્ષણમંત્રીએ ચારશેરી વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિરે પહોંચી રથની પૂજા કરી

અમદાવાદ જિલ્લાના ધોળકામાં 69મી રથયાત્રા નીકળી હતી. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચારશેરી વિસ્તારમાં આવેલા કૃષ્ણ મંદિરે પહોંચી રથની પૂજા કરી હતી અને દોરડુ ખેંચી રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. રથયાત્રાને લઈને સઘન બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે.

  અમદાવાદમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાનું જમાલપુર નીજ મંદિરેથી પ્રારંભ થયો છે. મંગળાઆરતી બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

(12:01 pm IST)