Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ઉપરવાસમાં વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો : જળસપાટી ૧૨૦.૦૩ મીટરે પહોંચી

પાણીની 16 હજાર 33 ક્યુસેક આવકથી મુખ્ય કેનાલમાં 5 હજાર 307 ક્યુસેક પાણી છોડાયુ : ગોડબોલે ગેટમાંથી ૫૯૫ ક્યુસેક પાણી છોડાયુ

અમદાવાદ : ઉપરવાસમાં વરસાદ થવાને કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટી ૧૨૦.૦૩ મીટર પર પહોંચી છે.

   ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક 16 હજાર 33 ક્યુસેક થઈ છે. જેથી મુખ્ય કેનાલમાંથી 5 હજાર 307 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

   આ ઉપરાંત નર્મદા નદીને જીવંત રાખવા ગોડબલે ગેટમાંથી 595 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે

(12:01 pm IST)