Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

અંકલેશ્વરમાં રવીનાના આપઘાત કેસમાં નવો વળાંક :પ્રણય ત્રિકોણમાં બહેનપણીએ જ ગળું દબાવી હત્યા કરી પંખાના હુક સાથે લટકાવી દીધી

મૃતક રવીનાની જે યુવક સાથે સગાઇ થઇ હતી તેની સાથે બહેનપણીને પ્રેમસંબંધ હતો

 

અંકલેશ્વરમાં રવિના નામની યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાના બનાવમાં નવો વળાંક આવ્યો છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે યુવતીનું મોત ગળે ફાંસો ખાવાથી નહીં પરંતુ ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી છે. હત્યા યુવતીની બહેનપણીએ કરી હોવાનું પણ ખુલ્યું છે .

 તપાસ દરમિયાન ખુલ્યું કે મૃતક રવિનાની એક યુવક સાથે સગાઈ થઈ હતી. રવિનાની સગાઈ થઈ હતી તે યુવક સાથે તેની બહેનપણીને અગાઉ પ્રેમ સંબંધ હતો. કારણે હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે.

અંકલેશ્વરના ઈશકૃપા રેસિડેન્સી ફ્લેટમાં નર્સિગનું કામ કરતી અમુક યુવતીઓ રહે છે. સોમવારે આમાંથી રવિના નામની યુવતીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રવિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે યુવતીનું મોત ગળું દબાવાને કારણે થયું છે. મામલે યુવતીના પિતાએ ફરિયાદ દાખલ કરી છે

રવિનાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની દીકરીને જે યુવક સાથે સગાઈ થઈ છે તેની સાથે રવિનાની બહેનપણી ધર્મિષ્ઠાને અગાઉ પ્રેમ સંબંધ હતો. તેણે સરપ્રાઇઝ આપવાનું કહીને રવિનાને પોતાના રૂમમાં બોલાવી હતી અને હત્યા કરી નાખી હતી. બાદમાં તેના મૃતદેહને પંખાના હુક સાથે લટકાવી દઈને બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. કેસમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

(9:00 am IST)