Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

આંકલાવ તાલુકાના ખડોલની સીમમાં કપિરાજને ભગાડવા માટે ચાર શખ્સોએ દંપતીને માર મારતા ગુનો દાખલ

આંકલાવ:તાલુકના ખડોલ (ઉ)ગામની સીમમાં વાંદરા ભગાડવાના મુદ્દે ચાર શખ્સોએ દંપતીને માર મારીને ગમે તેવી ગાળો બોલતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર પુનમભાઈ હિંમતભાઈ પઢિયાર પોતાના ખેતરમાં ઉભો પાક બગાડી રહેલા વાંદરાઓને ભગાડતાં હતા ત્યારે નજીકમાં ખેતર ધરાવતા પ્રવિણભાઈ ઉર્ફે સચીન શનાભાઈ પઢિયાર અને શનાભાઈ ધુળાભાઈ પઢિયાર આવી ચઢ્યા હતા અને અમારા ખેતર બાજુ કેમ વાંદરા ભગાડો છો તેમ જણાવીને ચંચળબેનને લાકડાનો ડંડો મારી દીધો હતો. ત્યારબાદ પુનમભાઈનું ગળુ પકડી લઈને ડંડાથી માર માર્યો હતો. બન્નેનું ઉપરાળુ લઈને રમણભાઈ ધુળાભાઈ પઢિયાર અને અજય ઉર્ફે રાજુભાઈ વિનુભાઈ પઢિયાર પણ આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલી હતી. 


 

(5:20 pm IST)