Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

વડોદરાના દંતેશ્વરમાં વીજ કરંટથી ગાયનું મોત નિપજતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો

વડોદરા:શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા મેદાનમાં આજે સવારે ખુલ્લામાં રખાયેલા જીવંત વીજવાયરનો કરંટ લાગતા એક ગાયનું મોત થયું હતું જેના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો અને તેઓએ આ બનાવમાં જવાબદાર લોકો સામે પગલા લેવાની માગણી કરી હતી.

શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલા જનપથનગર કોમ્પ્લેક્સ પાસેના મેદાનમાં આજે સવારે જીવંત વીજવાયર મોંઢામાં આવી જતા એક ગાયનું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે સ્થાનીક રહીશો ઉગ્ર રોષ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે નજીક આવેલા કોમ્પ્લેક્સના બિલ્ડરે ગેરકાયદે વીજકનેકશનો લીધા છે અને તેના કારણે જીવંત વીજવાયર છુટ્ટો પડી જતા ગાયનું મોત થયું છે. આ અંગે બિલ્ડરને જાણ કરતા તેણે થાય તે કરી લો તેમ જણાવ્યું હતું. રહીશોએ આ બનાવમાં જવાબદાર લોકો સામે પગલા લેવા માગણી કરી હતી.

(5:13 pm IST)