Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ગાંધીનગર ધોળેશ્વર મહાદેવના દર્શન કરીને સીધા માતાના આશીર્વાદ લેવા પહોંચ્યા વડાપ્રધાન મોદી

માતા હીરા બા સાથે મુલાકાત બાદ વડાપ્રધાન રાજભવનમાં પહોચ્યાં

 

ગાંધીનગર: વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અનેક કાર્યક્રમો અને ઉદ્દઘાટનો કર્યા બાદ ગાંધીનગર ખાતે માતા હિરાબાના નિવાસ સ્થાને પહોચ્યાં હતા.વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવે છે. ત્યારે માતા હિરાબાના આશીર્વાદ લે છે. વડાપ્રધાન મોદી ગાંધીનગર ધોળેશ્વર મહાદેવના દર્શન કરીને સીધા માતાના આશીર્વાદ લેવા માટે પહોચ્યા હતા. માતા સાથે મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર ખાતે રાજભવનમાં પહોચ્યાં હતા

 અત્રે ઉલ્લેખનીય છે કે માતાના આશીર્વાદ લીધા પહેલા વડાપ્રધાન મોદી ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લેવા માટે પહોચ્યાં હતા. પ્રધાનમંત્રી મંદિરે જવાના હોવાથી મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો. મંદિરનો ઉલ્લેખ વર્ષો જુના ધાર્મિક ગ્રંથોમાં પણ જોવા મળે છે. મંદિરમાં પહોચતા વડાપ્રધાનું સાલ ઓઢાડીને પુજારીએ સ્વાગત કર્યું હતું

(11:03 pm IST)