Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સુરતના અમરોલીમાં યુવાન વકીલે નદીમાં મોતની છલાંગ લગાવતા ચકચાર

સુરત:અમરોલી વિસ્તારમાં રહેતા વકીલાતની પ્રેક્ટિસ કરી રહેલા એક યુવકે ગઈકાલે ચોકબજાર તરફના કોઝવે પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જોકે યુવક અને તેની ગર્લફ્રેન્ડ વચ્ચે ત્રણેક દિવસથી ઝગડો ચાલી રહ્યો હતો. જેને કારણે ટેન્શનમાં આવી તેને પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ અમરોલીના છાપરાભાઠા ખાતે રહેતો 25 વર્ષીય સંજય ( નામ બદલ્યું છે ) ગઈકાલે ઘરેથી વરાછામાં કોઈ મિત્રની ઓફિસના ઓપનિંગના પ્રોગ્રામમાં ગયો હતો. બાદમાં ગત સાંજે સંજય મિત્ર સાથે બાઈક ઉપર જવા નીકળ્યો હતો. ત્યારે કોઝવે ઉપર બાઈક ઉભી રાખી હતી ત્યારબાદ સંજયે કોઝવેના પાણીમાં ભુસ્કો મારી દીધો હતો. મિત્ર સામે તેને પગલું ભરતા તેના હોશ ઉડી ગયા હતા. મોડી સાંજે ફાયરબ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળે જઈને તેને તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

 

(6:25 pm IST)