Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

અંબાજીનો ગબ્બર રોપવે છ દિવસ માટે બંધ રહેશે: 10 માર્ચથી રાબેતા મુજબ ચાલુ કરાશે

રોપ-વેનું મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી હાલ આ સેવા 6 દિવસ માટે બંધ

અંબાજીનો ગબ્બર રોપવે છ દિવસ માટે બંધ રહેશે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર ચાલતી રોપ-વેની સેવા આગામી 10 માર્ચથી રાબેતા મુજબ ચાલુ થશે

અત્રે ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રીને લઈને મોટી સંખ્યામાં માતાજીના ભક્તો મા અંબાના દર્શન કરવા માટે ગબ્બર પર આવતા હોય છે. તે સમયે મોટી સંખ્યામાં ભક્તો રોપ-વે દ્વારા ગબ્બર પર પહોંચે છે. ત્યારે આ પૂર્વે રોપ-વેનું મેન્ટેનન્સ કામ કરવાનું હોવાથી હાલ આ સેવા 6 દિવસ માટે બંધ કરવામાં આવી છે.

(10:56 pm IST)