Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

રાજ્યના 10 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલી :રવિવારે ગૃહ વિભાગે ટ્રાન્સફરના કર્યા હુકમો

આર કે પટેલને મોરબીથી ડીવાયએસપી બનાસકાંઠા ખાતે મુકયા

અમદાવાદ :ચુંટણી આચાર સહિંતા લાગુ પડે તે પહેલા ગૃહ વિભાગે પોલીસ અધિકારીઓની બદલી કરી છે. સામાન્ય રીતે રજાના દિવસે બદલીઓનો આદેશ થતો નથી. આમ છતાં ગૃહ વિભાગે રાજયના 10 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલી કરી છે.

બદલી કરવામાં આવેલા ડીવાયએસપી એન્ડ્રેઝ મેકવાનને ગાંધીનગરથી ડીસીપી ટ્રાફિક તરીકે વડોદરા મુકયા છે. જીતેન્દ્ર યાદવને અમદાવાદથી, સાયબર સેલ અમદાવામાં મુકયા છે. ડી બી ડામોરને ગાંધીનગર સલામતી શાખામાંથી એસઆરપી ગ્રુપ ચાર દાહોદ મુકયા છે, મહાવિરસિંહ વાઘેલાને વડોદરાથી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર મુકયા છે. કોમલ વ્યાસને બનાસકાંઠાથી સ્ટાફ ઓફિસર તરીકે ગાંધીનગર મુકયા છે. આર કે પટેલને મોરબીથી ડીવાયએસપી બનાસકાંઠા ખાતે મુકયા છે.

કે પી પટેલને દાહોદ એસઆરપીમાંથી એસઆરપી વલસાડ ખાતે મુકયા છે. અશ્વીન પટેલને સાબરમતી જેલ અમદાવાદથી સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર મુકયા છે. પીએલ ચૌધરીને અમદાવાદથી સુરત સ્પેશીયલ બ્રાન્ચમાં મુકયા છે અને બી એમ ચૌધરીને સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરથી અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં મુકયા છે

(6:47 pm IST)