Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

અમીરગઢ તાલુકાની સાત આશાવર્કરોએ તંત્ર ઉપર પજવણી કર્યાનો આક્ષેપ મુક્યો

ખાનગી દવાખાનામાં લાભાર્થીઓને ડિલિવરી કરાવવાના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરાયા

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાની સાત આશાવર્કરોએ તંત્ર ઉપર પજવણી કર્યાનો આક્ષેપ કર્યો છે. આશા વર્કરોને ખાનગી દવાખાનામાં લાભાર્થીઓની ડિલિવરી કરાવાના આક્ષેપો સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

         આશાવર્કરોએ કોઈ પણ પુરાવા વગર પર્સનલ વિરોધ કરી દૂર કર્યાના આક્ષેપો કરી તંત્ર તરફી આંગળી ચીંધી છે. અમીરગઢ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા મનમાની કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કડક વલણ અપનાવી આશાવર્કરોને સસ્પેન્ડ કરી હતી.

(11:46 pm IST)