Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

વડોદરાના કરજણ હાઇવે પર સ્વામિનારાયણ ગુરુકુળમાં ત્રાટકેલા તસ્કરોએ ઓફિસની તિજોરીમાં મુકેલ 2.53 લાખની મતાની ઉઠાંતરી કરતા ચકચાર

વડોદરા: શહેરમાં કરજણ હાઇવે પર કંડારી ગામ નજીક આવેલા સ્વામીનારાયણ ગુરુકુલમાં ત્રાટકેલી તસ્કર ટોળકી વહિવટી ઓફિસની તિજોરીમાં મુકેલી રૃા..૫૩ લાખની મત્તા ઉઠાવી ગઇ હતી. તસ્કરોએ સ્વામીજીની રૃમમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

અંગેની વિગત એવી છે કે કરજણ તાલુકાના રારોદ ગામના મુળ વતની સુમન હસમુખભાઇ પટેલ કંડારી ખાતેના શ્રી સ્વાનીનારાયણ ગુરુકુળમાં શિક્ષણ વિભાગમાં સંચાલક તરીકે ફરજ બજાવે છે. રવિવારે રજા હોવાથી તેઓ ઘેર હતા ત્યારે ગુરુકુલના ગૃહપતિનો ફોન આવ્યો હતો કે શિક્ષણ વિભાગની વહિવટી ઓફિસના આગળના દરવાજાનું ઇન્ટરલોક તુટેલું છે તેમજ સ્વીમીજીને બેસવાની બીજી રૃમનો દરવાજો પણ ખુલ્લો છે બંને રૃમોમાં સામાન વેરવિખેર પડયો છે.

(5:39 pm IST)