Gujarati News

Gujarati News

News of Tuesday, 4th February 2020

SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતો દ્વારા સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો ઉજવાયેલ જન્મોત્સવ

અમદાવાદ : અનેક ભકતોના દુઃખ દૂર કરવા જેમણે સાળંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવેલ છે. વડોદરાના એક વિપ્ર ભકતના રક્ષણ માટે પૃથ્વીની ગતિ રોકીને સૂર્યગ્રહણને અટકાવેલ, વળી ભગવાન શ્રી સ્વામિનારાયણે અક્ષરધામ જતા પહેલા જેમને સ્વામિનારાયણ સંપ્રદાયની તમામ જવાબદારી સોંપેલ છે એવા ચમત્કારી સદગુરુ ગોપાળાનંદ સ્વામીના ૨૩૯માં પ્રાગટ્યદિને SGVP ગુરુકુલમાં જનમંગળ નામાવલિથી ઠાકોરજી તથા ગોપાળાનંદ સ્વામીની ચિત્ર પ્રતિમાનું સંતો દ્વારા પૂજન કરવામાં આવેલ.

 આ પ્રસંગે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીનો અભ્યાસ કરતા તમામ સંતોએ ગોપાળાનંદ સ્વામીનું ભાવ પૂજન કર્યુ હતું. દર્શનમ્ ના વિદ્યાર્થી સંત શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના ચમત્કારિક પ્રસંગોની વાતો કરી હતી. સભાનું સંચાલન ભક્તિપ્રિયદાસજી સ્વામીએ સંભાળેલ.

(12:10 pm IST)