Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

વિજયભાઇ રૂપાણીનો કોવિડ-19ની પરિસ્થિતીમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય: ૧ એપ્રિલ-ર૦ર૦થી ૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીના સમય દરમ્યાન ઉપયોગમાં ન લેવાયેલી સ્કુલ બસોને નોનયુઝ તરીકે વાહન વેરા- વ્હીકલ ટેક્ષમાંથી મુક્તિ

આવી સ્કૂલ બસો સમયગાળા દરમ્યાન અન્ય કોઇ વ્યાપારીક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી, તેની ચકાસણી કર્યા બાદ તેને નોનયુઝ તરીકે વેરા માફી આપવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્યની આવી શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આપતાં તેમણે નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19ની મહામારીની સ્થિતીમાં શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેલા હોવાથી તેમની બસોને મોટર વ્હીકલ ટેક્ષના ભારણમાંથી રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, પોતાની માલિકીની બસો ધરાવતી હોય અને તે તા.--ર૦૧૭ પહેલાં રજીસ્ટ્રર્ડ કરવામાં આવી હોય તેવી સ્કૂલ બસોમાં વાર્ષિક રૂ. ર૦૦ પ્રતિ સીટ પ્રમાણે મોટર વ્હીકલ ટેક્ષ વસુલવામાં આવે છે

(4:27 pm IST)