Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

અમદાવાદ સાબરમતી જેલમાં લૂંટ વિથ મર્ડરના આરોપી શહેજાદ પઠાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

શહેજાદ પઠાણ કેટલાય દિવસથી એગ્રેસીવ અને ગુસ્સામાં રહેતો હતો

 

અમદાવાદ: શહેરની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. શહેજાદ પઠાણ નામના કેદીએ આત્મહત્યા કરી લીધી છે.

  પોલીસનું કહેવું છે કે, રામોલના જનતાનગર વિસ્તારમાં રહેતો શહેજાદ પઠાણ વર્ષ 2017માં વસ્ત્રાપુરમાં લુંટ વીથ મર્ડરના ગુનામાં જેલમાં બંધ હતો. જો કે છેલ્લા કેટલાય દિવસથી તેનું વર્તન અચાનક જ બદલાઇ ગયું હતું. શહેજાદ પઠાણ કેટલાય દિવસથી એગ્રેસીવ અને ગુસ્સામાં રહેતો હતો જ્યારે કેટલીક વખત સાથી કેદીઓ સાથે મારામારી પણ કરતો હતો. જેથી જેલસત્તાધીશોએ તેને અલગ બેરેકમાં રાખ્યો હતો.જોકે આજે સવારે ચાદરથી તેણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે

   જેલ સત્તાધીશોને જ્યારે ઘટનાની જાણ થઇ હતી ત્યારે સમગ્ર બાબતની જાણ રાણીપ પોલીસને કરવામાં આવી હતી. જેથી રાણીપ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોચી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારજનોને કરતાં તેઓ પણ તાત્કાલિક આવી પહોચ્યા હતાં. હાલમાં પોલીસએ શહેજાદના મૃતદેહને પોસ્ટમો્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે.

 

(12:49 am IST)