Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

ગરીબ કલ્યાણ મેળામાં કોંગ્રેસ-ભાજપનો ભેદ સમજાવવા જતા ભાજપના ભવાનભાઈ ભરવાડે ભાંગરો વાટી નાખ્યો

તેમણે કહ્યું અમે કોંગ્રેસમાં હતા ત્યારે ગરીબોનું બધું ખાઈ જતા હતા ,,,તરત સુધાર્યું ,,બીજા બધા હો હું નહીં

અમદાવાદ ;રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા યોજાઈ રહ્યા છે. જેમાં ભાજપના નેતા અને ભાજપના મંત્રીઓ ઉપસ્થિત રહીને ગરીબોને સહાય આપે છે આ દરમિયાન પેટલાદ ખાતે ગરીબ કલ્યાણ મેળામાં બન્યો છે. ભાજપના નેતા ભવાન ભરવાડે ભાંગરો વાટ્યો હતો.

  ગરીબ કલ્યાણ મેળામાં બોલતા ભવાન ભરવાડે કહ્યું હતું કે અમે કોંગ્રેસમાં હતા ત્યારે ગરીબોની સહાય ખાઈ જતા હતા. જોકે પાછળ કહ્યું હતું કે અમે ખાતા ન હતા પણ બીજા થાઈ જતા હતા.
   કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ભેદ સમજાવવા જતા ભવાન ભરવાડે ભાંગરો વાટ્યો હતો. આ સમયે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં પણ ઉપસ્થિત હતા

(12:26 am IST)