Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

થરાદના લોરવાડામાં છાત્રોની ફરિયાદ કરતા આચાર્ય પર વાલીઓએ ધોકા,લાકડી અને ચપ્પુથી કર્યો હુમલો

ધોરણ-8ના વિદ્યાર્થીઓની ધમાલ અંગે આચાર્ય દ્વારા વાલીઓને રજૂઆત વેળાએ ઉગ્ર ઘર્ષણ

બનાસકાંઠાના થરાદમાં લોરવાડા પ્રાથમિક શાળાનના આચાર્ય પર વાલીઓ દ્વારા હુમલો કરાયાની ફરિયાદ નોંધાઇ છ આચાર્ય રતનસિંહ પટેલ પર ઉશ્કેરાયેલા વાલીઓએ લાકડી, ધોકા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં આચાર્યને ઇજા પહોંચી હતી.

   મળતી વિગત મુજબ બનાસકાંઠઆના થરાદના લોરવાડા પ્રાથમિક શાળમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રતનસિંહ પટેલ સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ ધમાલ કરતાં હતા જે અંગે આચાર્ય રતનસિંહે બાળકોના વાલીઓને રજૂઆત કરી હતી

  . આ રજૂઆત દરમિયાન વાલીઓ અને આચાર્ય વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું અને વાલીઓએ લાકડી ધોકા તેમજ ચપ્પુ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.

   ઘટનામાં ઘાયલ આચાર્ય રતનસિંહને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો સમગ્ર મામલે વાલીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ પોલીસ નિવેદનો નોંધી તપાસ કરી રહી છે

(12:16 am IST)