Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

અમદાવાદના ગોમતીપુરમાં રાતના સમયે મકાનમાંથી ફીણ નીકળતા લોકોમાં ગભરાટ

ફીણ સાથે પ્રવહી નીકળીને બહાર શેરીમાં પથરાઈ જતા લોકોમાં ભયનો માહોલ

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સારંગપુર બ્રિજ નજીક કરીમ ચૌધરીની ચાલીના રહેણાંકના મકાનોમાંથી ફીણ સાથે કોઇ પ્રવાહી નીકળીને બહાર શેરી સુધી પથરાઇ જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો

 . મેટ્રોરેલની અંડરગ્રાઉન્ડ ચાલી રહેલી કામગીરીના કારણે આમ બન્યું હોવાનું પહેલી નજરે લાગી રહ્યું છે.આ ફીણ નીકળવાનું ચાલુ થતા કોઇ ગેસ લીક થયો હશે તેમ જણાતા લોકોએ ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો.

  દરમિયાન ફાયરબ્રિગેડ, પોલીસ, મેટ્રોરેલ અને ટોરેન્ટ પાવરના અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતું કે મેટ્રોરલના અધિકારીઓ નીચે ભૂગર્ભમાં કામગીરી ચાલી રહી હોવાથી આ ઘરોમાં સેન્સર લગાવી ગયા હતા. પરંતુ તે શા માટે લગાવી ગયા છે તે જણાવ્યું નહોતું.

(1:49 pm IST)