Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

મહેસુલ વિભાગ દ્વારા અધિક પ્રભારી સચિવોની નિમણૂંક

દિલીપ ઠાકરને દક્ષિણના ૩ જિલ્લાઓનો હવાલોઃ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં પ્રકાશ મકવાણા

ગાંધીનગર તા.૪: મહેસુલ વિભાગે જિલ્લાવાર અધિક પ્રભારીઓ નિયુકત કરવામાં આવ્યા છે.

રાહત નિયામક મનોજ કોઠારી વલસાડમાં જવાબદારી સંભાળશે. મહેસુલ વિભાગના નાયબ સચિવ (સેવા)ને તાપી, નવસારી અને ડાંગનો હવાલો અપાયો છ. નાયબ સચિવ હરીશ પ્રજાપતિને દેવભૂમિ દ્વારકા, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લાનો કાર્યભાર યુએલસીના નાયબ સચિવ પ્રકાશ મકવાણાને સોપાયા છે. અન્ય ઉપસચિવોને જિલ્લા ફાળવાયા છે તેમા રાજેષ જોષી (બોટાદ), નિસર્ગ જોષી (ભાવનગર), એચ.જે. રાઠોડ (અમરેલી), અમૃત પરમાર (પોરબંદર) અને વી.બી. દેસાઇ (ગિર સોમનાથ)નો સમાવેશ થાય છે. પ્રભારી અધિક, નાયબ અને ઉપસચિવોએ સરકારની નીતિ મુજબ વહીવટી અમલીકરણ પર દેખરેખ રાખવાની રહેશે.(૧.૬)

(11:51 am IST)