Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

લોક રક્ષકની ભરતી પરીક્ષા માટે ભરૂચ એસ.ટી ડિવિઝનમાંથી 712 જેટલી ટ્રીપોનું સંચાલન થશે

ભરૂચ :લોક રક્ષકની ભરતી પરીક્ષા માટે ભરૂચ એસ.ટી ડિવિઝનમાંથી 712 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવનાર છે. ભરૂચ અને નર્મદા જીલ્લાના ઉમેદવારો સુરત ખાતે અને છોટાઉદેપુરના ઉમેદવારો ભરૂચ અને અંકલેશ્વર કેન્દ્ર ખાતે પરીક્ષા આપશે.

  ભરૂચ અંકલેશ્વરના ૪૦ કેન્દ્રો ખાતે છોટાઉદેપુર વિસ્તારના ૧૪,૭૭૪ ઉમેદવારો પરીક્ષા આપનાર છે. ભરૂચ એસ.ટી ડિવિઝન દ્વારા ભરૂચ નર્મદા જીલ્લાના ઉમેદવારોને સુરત લઈ જવા ૪૧૭ ટ્રીપ કરશે. તો ભરૂચ અંકલેશ્વર કેન્દ્રોના ઉમેદવારોને છોટાઉદેપુર લઈ જવા માટે ૨૯૫ ટ્રીપો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

(8:21 pm IST)