Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

પીએમ મોદીએ અમદાવાદના નગર દેવી માં ભદ્રકાળીના દર્શન કર્યા :15 મિનિટ જેટલો સમય મંદિરમાં રોકાયા

વિશેષ પૂજા અને નાની માતાજીની આરતી ઉતારીને પાવન થયા:મંદિર તરફથી ફૂલોનો હાર અને માતાજીની ચૂંદડી આપી સ્વાગત કરાયું

અમદાવાદ :પીએમ મોદી હાલ ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે બીજા દિવસે દેશના વડાપ્રધાન મોદીએ અમદાવાદના નગર દેવી માં ભદ્રકાળીના દર્શન કર્યા હતા. 15 મિનિટ જેટલો સમય તેઓ મંદિરમાં રોકાયા હતા અને એક વિશેષ પૂજા અને નાની માતાજીની આરતી ઉતારીને પાવન થયા હતા.

વર્ષો બાદ પીએમ મોદી નગર દેવી માં ભદ્રકાળીના દર્શને આવ્યા હોવાથી મંદિર તરફથી તેમને ફૂલોનો હાર અને માતાજીની ચૂંદડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર તરફથી પીએમ એ પૂજા પૂર્ણ કરતા તેમને પેંડાનો પ્રસાદ આપવા આવ્યો હતો, સાથે શક્તિના પ્રતીક રૂપ તલવાર પણ અર્પણ કરવામાં આવી હતી. કેમ કે તેમના વિચારો વિશ્વના રક્ષણના છે, માટે તલવાર પ્રતીક રૂપે ભેટ આપવામાં આવી.

(9:07 pm IST)