Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

રાજયમાં ખાધ્યસમગ્રરીના 5054 નમૂનાઓમાંથી માત્ર 25 નમૂનાઓ અપ્રમાણિત જાહેર થતા આશ્ચર્ય બીન આરોગ્ય પ્રદ જથ્થાનો નાશ કરાયો : કુલ ૯૯૧ પેઢીઓમાથી તપાસ કરાઇ

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં મીઠાઇ, ફરસાણ, દુધ, ઘી તેમજ દુધની બનાવટો વગેરેના કુલ 5054 નમુનાઓ લીધા હતા. તે પૈકી 25 નમુનાઓ અપ્રમાણિત જાહેર થયેલ છે અન્ય નમુનાઓની તપાસણીની કાર્યવાહી ચાલુ છે. અપ્રમાણિત થયેલ નમુનાઓનાં કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા તપાસ દરમિયાન વેપારીઓને ત્યાંથી કુલ- 19,340 કિલોગ્રામનો શંકાસ્પદ જથ્થો મળી આવતા કે જેંની અંદાજીત કિંમત રૂ. 17,98,819 થાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ સ્થળ ઉપર કુલ 1561 કિ.ગ્રા બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં જોવા મળી આવ્યો હતો. આ અખાદ્ય પદાર્થના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેની અંદાજીત કિંમત રૂ. 2,86,895 થાય છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા મીઠાઈની ટ્રે ઉપર Best Before/Use by Date દર્શાવવા અંગે કુલ 991 પેઢીઓની તપાસ કરવામાં આવેલ તથા હંગામી સ્ટોલ ધારકોને કુલ 14 લાયસન્સ્/રજીસ્ટ્રેશન આપવામાં આવેલ તથા વારંવાર તળાતા ખાદ્યપદાર્થનું તેલમાં ટોટલ પોલાર કમ્પાાઉન્ડાની માત્રામાં વધારો થતો હોય છે તે માટે તંત્ર દ્વારા અવારનવાર ફરસાણના વેપારીઓની મુલાકાત લઈ કુલ 1197 પેઢીઓની તપાસ કરેલ. આમ તંત્ર દ્વારા તહેવારો નિમિત્તે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયેલ છે.

દિવાળીના તહેવારોમાં શું કાળજી રાખવી

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે જણાવ્યું છે કે, જાહેર જનતાને શુધ્ધ, સલામત, પોષણ ક્ષમ આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હંમેશા પ્રયત્નશીલ છે. હાલમાં સમગ્ર રાજ્યમાં તહેવારો નિમિત્તે મીઠાઈનું ઉત્પાદન તથા વેચાણ બહોળા પ્રમાણમાં થઈ રહ્યું છે. જેથી તહેવારો દરમ્યાન લોકોએ તથા વેપારીઓએ નીચે જણાવેલ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે.

તહેવારો દરમ્યાન લોકોએ ધ્યાનમાં રાખવાના મુદ્દા

  • ખુબ કલરફુલ દેખાય તેવી મીઠાઈ ખરીદવી નહિ કારણ કે વધુ રંગ આપણા સ્વાસ્થ્યને હાનિકર્તા છે.
  • જયારે પણ મીઠાઈ ખરીદો ત્યારે તેના પેકીંગ ઉપર અવશ્ય નજર કરાવી અને બેસ્ટ બિફોર ડેટ વીતી ગયેલ હોય તો તેવી મીઠાઈ ખરીદવી નહિ. ઘણા સમયે બેસ્ટ બિફોર ડેટ લખેલી જ નથી હોતી તેવી મીઠાઈ ક્યારેય ના ખરીદવી.
  • પેકીંગ ઉપર ઉત્પાદકનું નામ, સરનામું ચેક કરવું તથા FSSAI નો લાયસન્સ નંબર પણ ચેક કરવો.
  • વારંવાર તળાયેલા તેલમાં તળાતા ફરસાણ ખરીદવા નહિ.
  • જો છૂટક મીઠાઈ ખરીદો તો દુકાનદારે જે તાસકમાં મીઠાઈ રાખી છે તેના પર બેસ્ટ બિફોર ડેટ જાહેર કરેલી છે કે કેમ તે ખાસ જોવી.
  • છાપાના કે રંગીન કાગળમાં ફરસાણ પેક કરેલું હોય તે ક્યારેય ના લેવું.
  • તહેવારો દરમ્યાન વેપારીઓએ કઈ બાબતની સાવચેતી રાખવી.
  • તમામ વેપારીઓએ પોતે જે રો મટીરીયલ જેવું કે દૂધ, ઘી, માવો, તેલ, મસાલા વગેરે ખરીદે છે તે ઓથેન્ટિક વેપારી પાસે જ ખરીદવા અને તેની ગુણવત્તા ચકાસી જોવી, અન્યથા રો-મટીરીયલ્સ જ ખરાબ હશે તો તેઓની ફિનિસ્ડ પ્રોડક્ટ્સની ગુણવત્તા ખરાબ થશે અને વેપારીને નુકશાન થશે.
  • ઘણી વખત તહેવારો દરમિયાન કેટલાક જ્ઞાતિ મંડળો કે શેરી મંડળો દ્વારા મીઠાઈ/ ફરસાણ બનાવીને મંડપમાં વેપાર/વેચાણ કરતુ હોય છે તે લોકોએ પણ લાયસન્સ અથવા રજીસ્ટ્રેશન ફરજીયાત મેળવવાનું રહેશે અન્યથા કાયદાકીય મુશ્કેલી પડી શકે છે.
  • દરેક વેપારીએ પોતાની પ્રોડક્ટ્સના લેબલ ખાસ ચકાસી જોવા કારણ કે ઘણી વખત સામાન્ય ભૂલ ને કારણે તેઓને દંડના ભોગ બનવું પડતું હોય છે.
  • જે વેપારીઓ છૂટક મીઠાઈનો વેપાર કરે છે તેઓએ તાસક/ટ્રે કે જેમાં મીઠાઈઓ રાખી છે તેના પર બેસ્ટ બીફોર ડેટ અવશ્ય લગાવાની રહે છે.
  • આ તંત્ર દ્વારા આવી નાની મોટી ભૂલો કરતા વેપારીઓ સામે 5000 થી વધુ કેસ કરવામાં આવેલ છે અને તેમાં રૂ. 22 કરોડથી વધુ દંડ વસુલ કરવામાં આવેલ છે જે ફક્ત વેપારીને જ નુકસાન છે.
(10:02 pm IST)