Gujarati News

Gujarati News

News of Sunday, 3rd November 2019

ભાઇબીજના દિવસે SGVP ગુરૂકુલમાં સ્વામી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ કવિઓ દ્વારા યોજાયો ગઝલ પાઠ

અમદાવાદ : શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP  છારોડીના અધ્યક્ષ પુજય સ્વામીશ્રી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં ભાઇબીજની સંધ્યાએ અનોખું સ્વરૂપ ધારણ કર્યુ હતું. ગુજરાતી ભાષાના ઋષિતુલ્ય કવિ શ્રી રાજેન્દ્રભાઇ શુકલ અને હર્ષદ ચંદારાણા ઉપસ્થિત રહ્યા હતા. આ બન્ને કવિઓએ પુજય સ્વામીજી તથા સંતો-ભકતોની ઉપસ્થિતિમાં પોતાના અનોખા અંદાઝમાં ગઝલો સંભળાવી હતી.

આ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, નવા વર્ષના આ દિવસો ખરેખર ધન્ય થયા છે. આવા મહાન કવિઓનું સાંનિધ્ય સાંપડવાથી આપણા માટે ભાઇબીજ સાર્થક થઇ છે.

(11:05 am IST)