Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

વિરમગામના ભોજવામાં ખેતરમાં ગાયો ચરાવવા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું :ત્રણ લોકો ઘવાયા

પોલીસ કાફલો ઘટના સથળે પહોંચ્યો : સ્થિતિને કાબુમાં લીધી

 

વિરમગામના ભોજવા ગામે જમીન ભેલાણ બાબતે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. ખેતરમાં ગાયો ચરાવવા બાબતે જૂથ અથડામણ થતા ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે.

   બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી છે. જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં હાલ બન્ને તરફથી કોઈ પણ જાતનો કેસ દાખલ કરાયો નથી.

(1:10 am IST)