Gujarati News

Gujarati News

News of Thursday, 3rd October 2019

સુરતમાં ફરીદા મીર અને જતીન પંડીતના સથવારે રાસ ગરબાની રમઝટ

રાજકોટ તા ૩  : નવરાત્રી પર્વમાં રાસ-ગરબાની રંગત બરાબરની જામી છે અને પ્રાચીન, અર્વાચીન રાસોત્સવમાં અવનવા રાસ-ગરબા રજુ થઇ રહયા છે, ત્યારે સુરતમાં ફરીદા મીર અને જતીન પંડિતના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે. સુરતના જોલી પાર્ટી પ્લોટ ખાતે તા. ૨૯ ઓકટોબરથી તા. ૮ ઓકટોબર સુધી ખેલૈયાઓને જોમ જુસ્સા સાથે રાસે રમાડી રહયા છે.

ફરીદા મીર અને જતીન પંડીત દરરોજ અવનવા રાસ-ગરબા રજુ કરે છે અને સંગીતના સથવારે ખેલૈયાઓ નવરાત્રીને મનભરીને માણી રહયા છે.

(3:46 pm IST)