Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

છારાનગર વિસ્તારમાં પથ્થરમારો : ૧નું મોત

પડોશીઓ લડી પડતા સ્થિતિ વણસી

અમદાવાદ, તા.૩: અમદાવાદ શહેરના છારાનગર વિસ્તારમાં પડોશીઓ વચ્ચે નજીવી બાબતે જોરદાર ઘર્ષણ થયા બાદ પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટનામાં એકનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. કયા કારણોસર પથ્થરમારા ઉપર લોકો ઉતરી આવ્યા તેને લઇને તપાસ ચાલી રહી છે. બનાવની જાણ થતાં નોબલનગર પોલીસ ટુકડી તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોને ઘરભેગા કર્યા હતા. થોડાક સમય માટે પથ્થરમારાની ઘટનાના કારણે તંગદિલી ફેલાઈ ગઈ હતી. જો કે, પોલીસ ટુકડીએ સ્થિતિને કાબૂમાં લીધી હતી. એકના મોતથી સ્થિતિ તંગી રહી હતી.

(10:05 pm IST)