Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ગોપાલાનંદજી મહારાજને પુષ્પાંજલી અપઁણ કરીને રાજય સરકાર વતી શ્રધ્ધાંજલી આપતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને જયેશભાઇ રાદડિયા

ગોપાલાનંદજી સ્ત્રી શિક્ષણ - દિકરીઓને શિક્ષણ આપવાના હિમાયતી:વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પણ દુઃખ વ્યક્ત કર્યું

 

 રાજય સરકારના પ્રતિનિધિઓ તરીકે સિનીયર કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા ત્થા જુનાગઢ ના પ્રભારી મંત્રી  જયેશભાઈ રાદડીયાએ બિલનાથ મંદિર ખાતે ભારત સાધુ સમાજના પ્રમુખ શ્રી ગોપાલાનંદજી મહારાજને પુષ્પાંજલી અપઁણ કરીને રાજય સરકાર વતી શ્રધ્ધાંજલી આપી હતી

  તેમણે કહયુ હતુ કે પુજય બાપુએ વર્ષો પહેલા સ્ત્રી શિક્ષણ - દિકરીઓને શિક્ષણ આપવાના હિમાયતી હતા અને જુદી જુદી જ્ઞાતિઓને પોતાની કીમતી જમીન શિક્ષણ ના હેતુ માટે આપી હતી તે વાત યાદ કરી હતી સાથો સાથ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સાહેબે પણ પુજય બાપુના અવસાન અંગે દુખ વ્યક્ત કરી મને વ્યક્તિ ગત ફોન કરી આપ જવાના છોને તેવી વાત કરી હતી પુજય ગોપાલાનંદજી મહારાજને તેમને એક ઈશ્ર્વરીય રૂપ બતાવી શ્રધ્ધાસુમન અપઁણ કયાઁ હતા  તેમની સાથે  ભાજપના પ્રમુખ, મેયર મહામંત્રી અને સિનિયર આગેવાનો હાજર રહ્યા હતા

(9:22 pm IST)