Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

સાસુ - વહુ વચ્ચે નજીવી બાબતના ઝઘડાએ એડવોકેટ : પરિવારનો માળો વિંખી નાખ્યો : વહુએ બંને સંતાનોને સળગાવી જાતે સળગી મરી : પતિએ પત્નિ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો

રાજકોટ : અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે આવેલા પાર્વતીનંદન પાર્ક ખાતે રહેતા વકીલ સત્યદેવ ચતુર્વેદીની પત્ની નેહાબહેન શનિવારે પોતાના ઘરમાં બે બાળકોને નવડાવાના બહાને બાથરૂમમાં લઇ જઇને તેમના પર કેરોસીન છાંટીને સળગાવી દીધા બાદ પોતે પણ સળગી ગયા હતા. આ સામૂહિક આત્મહત્યા કેસમાં પતિએ પત્ની સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે, જેમાં શુક્રવારે સવારે ચા ઢોળાવા જેવી સામાન્ય બાબતે સાસુ - વહુ વચ્ચે તકરાર થઇ હતી. પતિએ આ બાબતે પત્નીને સમજાવી હોવાનું પણ કહ્યું છે. બીજી તરફ પતિ શનિવારે નડિયાદ કામ અર્થે ગયા હતા. આ સમયે ઘરમાં એકલતાનો લાભ લઇને મનમાં લાગી આવતા પત્નીએ બાથરૂમમાં બે બાળકોને સાથે રાખીને તેમના પર અને પોતાના પર કેરોસીન છાંટીને સળગ્યા હતા. જેમાં માતાનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે સાંજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન સચીન અને કુલદીપ નામના બે બાળકોના મોત થયા હતા.

(4:11 pm IST)