Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

લોકગાયક કિર્તીદાન ગઢવી અને ટીમે ઓસ્ટ્રેલિયામાં બાપુની ભાવવંદના કરી

મોદીના સ્વચ્છ ભારત,સુંદર ભારત અભિયાનની પ્રશંસા કરીને જોડાવાની અપીલ

 

અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે લોકગાયક કિર્તિદાન ગઢવી તથા તેમની ટીમે બાપુની ભાવવંદના કરી છે. કિર્તીદાન ગઢવી ઓસ્ટ્રેલિયામાં હોવા છતા આજના દિવસે બાપુને યાદ કર્યા હતા. સુતરની આંટી પહેરાવી તથા એક રચના ગાઈને ભાવવંદના કરી હતી. સમગ્ર ટીમે બાપુને પુષ્પ અર્પણ કર્યા હતા.

   કિર્તીદાને ગાંધી બાપુને સત્ય અને અહિંસાના પર્યાય ગણાવ્યા હતા સાથે ગાયક કિર્તીદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત, સુંદર ભારત અભિયાનની પ્રશંસા કરતા તેમાં જોડાવાની અપીલ કરી હતી

(2:58 am IST)