Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સુરતના ઓલપાડ પાસે માલગાડીની એક બોગીમાં આગ ભભૂકી : માલગાડીને 1 કલાકથી વધુ સમય અટકાવાઈ

સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી, ડબ્બાને ટ્રેનથી અલગ કરી દેવાયો : આગની ઘટના બનતા રેલ વ્યવહારને ભારે અસર પહોંચી

સુરત તા.03 : સુરતના કુડસદ રેલવે સ્ટેશન પર એક માલગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી.. ત્યારે  બનવાની પ્રાપ્ત વિગતો અનુસાર, કોલસા ભરીને જતી માલગાડીમાં આગ લાગી હતી. જેને કારણે માલગાડીને 1 કલાકથી પણ વધુ સમય અટકાવી રાખવી પડી હતી.

ગુડ્સટ્રેનમાં કોલસા લઇ જવામાં આવતો હતો. ગેટમેને આગની ઘટના અંગે જાણ કરાતાં તાત્કાલિક ટ્રેનને રોકી દેવાઈ હતી. સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગને કાબૂમાં લેવામાં આવી હતી. તો આ ડબ્બાને પણ અલગ કરી દેવાયો હતો. જોકે આ આગની ઘટના બનતા રેલ વ્યવહારને ભારે અસર પહોંચી છે. આ રૂટની તમામ ટ્રેનોના સમયમાં ફેરફાર થયા છે.

(12:00 am IST)