Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

અમદાવાદ સહીત નગરોમાં વકરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1059 નવા કેસ નોંધાયા:વધુ 909 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10,970: કુલ 12.40.332 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.26.121 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 6407 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 1059 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 909 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.40.332 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.970 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.62 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 2.26.121 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.73.42.180 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 6407 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 4 દર્દી વેન્ટિલેટર પર છે,અને 6403 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 1059 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 320 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 96 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 84 કેસ,વડોદરામાં 66 કેસ,સુરતમાં 38 કેસ, સુરત કોર્પોરેશનમાં 36 કેસ,મહેસાણામાં 35 કેસ, અમરેલીમાં 31 કેસ, રાજકોરમાં 30 કેસ, ગાંધીનગરમાં 29 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 27 કેસ, સાબરકાંઠામાં 26 કેસ, પાટણમાં 21 કેસ, નવસારીમાં 20 કેસ, જામનગર કોર્પોરેશનમાં 19 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં 18 કેસ, આણંદ અને વલસાડમાં 17-17 કેસ, દેવભૂમિ દ્વારકામાં 15 કેસ, મોરબીમાં 13 કેસ, બનાસકાંઠા, ભરૂચ અને કચ્છમાં 12-12 કેસ, અરવલ્લીમાં 9 કેસ, પંચમહાલ અને તાપીમાં 8-8 કેસ, અમદાવાદમાં 7 કેસ, ભવનગરમાં 6 કેસ, ગીર સોમનાથ અનેમહીસાગરમાં 4--4 કેસ, જામનગર, જૂનાગઢ કોર્પોરેશન, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં 3-3 કેસ,દાહોદ અને જૂનાગઢમાં 2-2 કેસ, બોટાદ, ડાંગ અને ખેડામાં 1-1 કેસ નોંધાયો છે

(7:47 pm IST)