Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

નરેશ રાવલનું રાજીનામું: પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડથી કડવા અનુભવ થયાનું જણાવ્યું

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ગૃહમંત્રી : નરેશ રાવલ સાથે પૂર્વ સાંસદ અને કોંગ્રેસના અગ્રીમ હરોળના દલિત નેતા અને સાંસદ રાજુ પરમાર પણ ૧૭મીએ ભાજપમાં જોડાશે તેવી ધારણા

ગાંધીનગર, તા.૩: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એ સિવાય

રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા રાજુ પરમાર પણ ભગવો ધારણ કરશે. આથી, કોંગ્રેસના ૨ સિનિયર નેતાઓ ૧૭મી ઓગસ્ટે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.

૧૭ ઓગસ્ટના રોજ સવારના ૧૧ વાગે આ બંને સિનિયર નેતાઓ ભાજપમાં જોડાશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે.  પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. ભ્પ્ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.ઉલ્લેખનીય છે કે, નરેશ રાવલ અને રાજુ પરમારે ગઈકાલે સી.આર. પાટીલ સાથે બેઠક કરી હતી.

(3:51 pm IST)