Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

સાંસદ મનસુખભાઇએ બીરસા મુંડા સ્મારક સમિતિ અને વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિને રૂપિયા 50,101નું દાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નિવાસી અને ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા બીજેપી નાં એક સક્રિય અને લોક લાડીલા નેતા છે અને તેમણે અનેકવાર પ્રજાની તરફેણ બાબતે અધિકારીઓનો જાહેરમાં ઉધડો પણ લીધો છે ત્યારે હાલ મનસુખભાઇ એ બીરસા મુંડા સ્મારક સમિતિ અને વિશ્વ આદિવાસી ઉજવણી સમિતિ ને રૂપિયા 50,101 નું દાન આપી સેવાકાર્યો માં સહભાગી થયા છે આમ નર્મદા જિલ્લામાં વિકાસના કામો હોય કે સામાન્ય પ્રજા નાં નાના મોટા પ્રશ્નો માટે હંમેશા લડત લડતાં સાંસદ મનસુખભાઇ વસાવા હંમેશા લોકોના દિલ જીતતા આવ્યા છે .

(10:17 pm IST)