Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ભરતસિંહની તબિયત સ્થિર છે, ઝડપથી સુધારો : મનીષ દોશી

કોંગ્રેસના શ્રી મનીષ દોશીએ સાંજે જણાવ્યું છે કે લાખો લોકોની પ્રાર્થના અને દુઆઓથી ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. હાલમાં ભરતસિંહ સોલંકીની તબિયત એકદમ સ્થિર છે. ચિંતાનું કોઈ કારણ નથી. તેઓ ટૂંક જ સમયમાં સંપુર્ણ સ્વસ્થ થઈ આપણી સૌની વચ્ચે જાહેરજીવનમાં જોડાઈ જશે

(6:28 pm IST)