Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગાંધીનગર નજીક છોળોદા નરોડા હાઇવે પર ડભોડાના આધેડને લકઝરીએ હડફેટે લેતા ઘટનાસ્થળેજ મૃત્યુ નીપજ્યું

ગાંધીનગર:શહેર નજીક આવેલા ચિલોડા નરોડા હાઈવે ઉપર ગઈકાલે સવારના સમયે બાઈક ઉપર મેઘાણીનગર જઈ રહેલા ડભોડાના આધેડને લકઝરી બસે અડફેટે લેતાં તેમનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. અકસ્માત સર્જી બસનો ચાલક ભાગી ગયો હતો. સંદર્ભે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ડભોડા ગામે દાદુનગરમાં રહેતાં અને મેઘાણીનગરમાં રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતાં રમણજી બબાજી સોલંકી તેમનું બાઈક નં.જીજે--એમકે-૮૫૮૨ લઈને ગઈકાલે સવારના સમયે નોકરી ઉપર મેઘાણીનગર જઈ રહયા હતા તે દરમ્યાન ચિલોડા નરોડા હાઈવે ઉપર વલાદ ગામના પાટીયા પાસે લકઝરી બસ નં.આરજે-૧૪-પીસી-૫૮૧૧ના ચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતુ અને શરીરે ગંભીર ઈજાઓના કારણે રમણજીનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. જો કે બસનો ચાલક સ્થળ ઉપર બસ મુકીને નાસી છુટયો હતો. ઘટના અંગે તેમના પુત્રને જાણ થતાં તે તુરંત સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તેમની ફરિયાદના આધારે ડભોડા પોલીસે લકઝરી બસના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

(5:17 pm IST)