Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

અમદાવાદના એસજી હાઇવે પર બાઈક પર આવેલ શખ્સોએ છરી વડે હુમલો કરતા એકનું મોત

અમદાવાદઃ એસજી હાઇવે પર મિર્ચમસાલા રેસ્ટોરન્ટ પાસે બાઇક પર આવેલા શખસોએ ત્રણ શખ્સો પર છરી વડી હુમલો કરતા એક યુવકનુ મોત નિપજ્યું હતું. પોલીસનું માનવું છે કે, કોઇ ચરસીએ ચરસની પડિકી માટે શખ્સો પર હુમલો કરીને લૂંટ ચલાવી હશે. હાલ સમગ્ર પ્રકરણમાં પોલીસે ચરસની પડિકી માટે લૂંટ કરી હોવાની થિયરીના આધારે તપાસ હાથ ઘરી છે. બીજી તરફ સમગ્ર બનાવ જે સ્થળે બન્યો છે તેની આસપાસના વિસ્તારમાં આવેલા સરકારી અને ખાનગી જગ્યાઓના સીસીટીવી ફુટેજ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

હેરમાં મોડી રાત્રે લૂંટ સાથે હત્યાનો કેસ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલા પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટના ઈરાદે ત્રણ યુવકો પર હુમલો કર્યો હતો. હુમલામાં એક યુવકનું મોત થયું હતું. મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ દ્રષ્ટિએ કેસ લૂંટનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે ત્રણેય યુવકો પર હુમલો કરીને હુમલાખોરોએ મોબાઇલ ફોન અને રોકડની લૂંટ ચલાવી હતી. હુમલા બાદ બંને બાઇકસવાર ફરાર થઈ ગયા હતા.

(6:46 pm IST)