Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: સે-8માં ત્રણ બંધ મકાનના તાળા તૂટ્યા

ગાંધીનગર: શહેરમાં તસ્કરોએ માઝા મુકી દીધી છે ત્યારે રાત્રીના સમયે તો ઘરફોડ ચોરી થતી જ હતી પરંતુ હવે તો ધોળા દિવસે પણ ઘરફોડની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. શહેરમાં એક પછી એક બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવી કિંમતી સરસામાનની સાથે રોકડ રકમની પણ તસ્કરી કરવામાં સફળ થઈ રહયા છે ત્યારે શનિ અને રવિવારની રાત્રે શહેરના વીવીઆઈપી એવા સે-૮માં તસ્કરો ત્રાટકયા હતા અને ત્રણ બંધ મકાનના તાળાં તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે વસાહતીઓમાં ફફડાટ ફેલાયો છે. આ વિસ્તારમાં રહેતા ઉચ્ચ અધિકારીઓએ આ સંદર્ભે પોલીસને રજૂઆત કરી અસરકારક પેટ્રોલીંગ કરવા માટે માંગણી કરી છે. પોલીસ ચોકીની નજીકમાં જ તસ્કરોએ હાથ અજમાવતાં પોલીસના રાત્રી પેટ્રોલીંગ ઉપર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે.

(6:46 pm IST)